
VMC Election: વડોદરા મહાનગરપાલિકાની સામાન્ય ચૂંટણી 2026ના પરિણામો જાહેર થયા બાદ હવે રાજકીય માહોલ ગરમાયો છે. વોર્ડ નંબર 1ની બેઠક પર થયેલી મતગણતરીમાં ગંભીર ગેરરીતિ થઈ હોવાના આક્ષેપ સાથે કોંગ્રેસના પૂર્વ વિપક્ષી નેતા અમી રાવત અને નિકુલભાઈ પટેલે અદાલતના દ્વાર ખખડાવ્યા છે. આ મામલે વડોદરાના પ્રિન્સિપલ સિનિયર સિવિલ જજની કોર્ટમાં ઇલેક્શન પિટિશન દાખલ કરી પુનઃમતગણતરીની માંગ કરવામાં આવી છે.
શું છે પિટિશનમાં મુખ્ય આક્ષેપો?
અરજદારો તરફે એડવોકેટ જગદેવ પરમાર અને આકિબ રાઠોડે GPMC એક્ટ, 1949 ની કલમ-17 હેઠળ રજૂઆત કરી છે કે, 28મી એપ્રિલ 2026ના રોજ મતગણતરી દરમિયાન ચૂંટણી અધિકારીએ તૈયાર કરેલા આખરી પરિણામ પત્રકમાં નિયમોનું ઉલ્લંઘન કરી ગેરરીતિ આચરી છે.
