અમદાવાદ,મંગળવાર
દસ લાખ રૃપિયાની તોડબાજી પ્રકરણમાં દીર્ઘાયુ વ્યાસ સામે ક્રાઇમ બ્રાંચે ગુનો નોંધ્યા બાદ એક પછી એક કારસ્તાન બહાર આવી રહ્યા છે. ક્રાઇમ બ્રાંચની ટીમ ધરપકડ કરવા ઘરે ગઈ ત્યારે તે નાસી ગયો હતો. ઘરે સર્ચ કરતા પિસ્તોલ તથા દારુની બોટલ મળી હતી. આજે ક્રાઇમ બ્રાંન્ચે દીર્ઘાયુના ઘરે ગઇ તો પરિવાર પણ ભૂગર્ભમાં ઉતરી ગયો હોવાથી ક્રાઇમ બ્રાંચે તેના ઘરે નોટિસ ચોટાડી છે. એક દિવસમાં હાજર નહી થાય તો ભાગેડું જાહેર કરવાની પ્રક્રિયા હાથ ધરાશે.
