રાજ્યમાં આજથી ઉનાળાની શરૂઆત થઈ ગઈ છે. હવામાન વિભાગની આગાહી અનુસાર માર્ચમાં જ તાપમાન 40 ડિગ્રી સુધી પહોંચી શકે છે. સામાન્ય રીતે એપ્રિલમાં જોવા મળતી ગરમીએ આ વર્ષે થોડી વહેલી જ દસ્તક આપી છે. ખાસ કરીને સૌરાષ્ટ્ર અને કચ્છ વિસ્તારમાં ગરમીનો પ્રભાવ વધુ રહેવાની સંભાવના છે. જ્યારે અમદાવાદ અને ગાંધીનગર સહિતના મધ્ય ગુજરાતમાં પણ મહત્તમ તાપમાન 35 ડિગ્રી આસપાસ નોંધાઈ શકે છે. આગામી પાંચ દિવસ સુધી ઉકળાટભર્યું વાતાવરણ રહેશે અને તાપમાનમાં 1થી 2 ડિગ્રીનો વધારો નોંધાઈ શકે છે. બપોરના સમયે બહાર નીકળવું મુશ્કેલ
રાજ્યમાં હિટવેવના દિવસોની સંખ્યા સામાન્ય કરતાં વધુ રહી શકે છે. માર્ચના પ્રથમ અઠવાડિયામાં જ ગરમીનો માહોલ ઘેરાતો હોવાથી બપોરના સમયે લોકો માટે બહાર નીકળવું મુશ્કેલ બની શકે છે. ખાસ કરીને મહાનગરોમાં સિમેન્ટ-કોંક્રીટના જંગલ અને વાહનવ્યવહારના કારણે તાપમાન વધુ અનુભવાય છે. સૌરાષ્ટ્ર અને કચ્છમાં સૂકું અને તડકાભર્યું હવામાન રહેતાં બપોરે તાપમાન 38થી 40 ડિગ્રી સુધી પહોંચી શકે છે. આગામી દિવસોમાં તાપમાનમાં વધુ વધારો થાય તો રાજ્યમાં હિટવેવની શરૂ થઈ શકે છે. ડીસામાં સૌથી વધુ તાપમાન નોંધાયું
માર્ચની શરૂઆત સાથે જ ઉનાળાએ તીવ્ર રૂપ ધારણ કર્યું છે અને લોકો માટે આ વર્ષે ગરમી વધુ કઠિન સાબિત થવાની શક્યતા છે. માર્ચની શરૂઆતમાં જ ઉત્તર ગુજરાતમાં ગરમીનો પારો 34 ડિગ્રીએ પહોંચી ગયો છે. ડીસામાં સૌથી વધુ તાપમાન 34.2 ડિગ્રી નોંધાયું છે, જેથી આ વર્ષે કાળઝાળ ગરમી રેકોર્ડ તોડે તેવી પણ શક્યતા વ્યક્ત કરવામાં આવી છે. મોટા ભાગના શહેરોમાં લોકોને આકરો તાપ સહન કરવો પડશે. આગામી પાંચ દિવસ ઉકળાટ ભર્યું વાતાવરણ રહેશેઃ હવામાન વિભાગ
હવામાન વિભાગના વૈજ્ઞાનિક પ્રદીપ શર્માએ જણાવ્યું હતું કે, છેલ્લા 24 કલાકમાં મહત્તમ તાપમાનમાં કોઈ બદલાવ જોવા મળ્યો નથી. સૌથી વધુ તાપમાન ઉત્તર ગુજરાતમાં ડીસામાં 34.2 ડિગ્રી નોંધાયું છે. લઘુત્તમ તાપમાન 15.8 ડિગ્રી નલિયામાં નોંધાયું છે. આગામી 4 દિવસમાં લઘુત્તમ તાપમાનમાં 2થી 3 ડિગ્રી ફેરફાર થવાની શક્યતા છે. સૌરાષ્ટ્ર અને કચ્છમાં ગરમીનું પ્રમાણ સામાન્ય કરતાં વધુ જોવા મળશે. તેમજ આગામી પાંચ દિવસ ઉકળાટ ભર્યું વાતાવરણ રહેશે. આગામી દિવસોમાં તાપમાન 37થી 39 ડિગ્રી સુધી પહોંચવાની પૂરેપૂરી શક્યતા છે. લૂ કે હીટવેવ શું છે?
જવાબ- IMD (ભારત હવામાન વિભાગ) અનુસાર, જ્યારે મેદાની વિસ્તારોમાં મહત્તમ તાપમાન 40 ડિગ્રી સેલ્સિયસ અને પહાડી વિસ્તારોમાં તાપમાન 30 ડિગ્રી સેલ્સિયસ સુધી પહોંચે છે, ત્યારે ગરમ હવા ફૂંકાવા લાગે છે. જો કોઈપણ વિસ્તારમાં તાપમાન 47 ડિગ્રી સેલ્સિયસ સુધી પહોંચે છે, તો તેને હીટવેવની ખતરનાક શ્રેણી માનવામાં આવે છે. હીટ સ્ટ્રોકનું કારણ શું છે?
આપણા શરીરનું સામાન્ય તાપમાન 37 ડિગ્રી સેલ્સિયસ છે. પરંતુ ઉનાળા દરમિયાન આસપાસના વાતાવરણનું તાપમાન 40 થી 45 ડિગ્રી સુધી પહોંચી જાય છે. આવી સ્થિતિમાં જ્યારે આપણે તીવ્ર સૂર્યપ્રકાશ અથવા ગરમ હવામાં બહાર જઈએ છીએ, ત્યારે આસપાસનું વાતાવરણ આપણા શરીરનું તાપમાન વધારી દે છે. જ્યારે આપણા શરીરનું તાપમાન સામાન્ય શરીરના તાપમાન એટલે કે 37 ડિગ્રી સેલ્સિયસ કરતાં વધી જાય છે, ત્યારે આ સ્થિતિને હીટ સ્ટ્રોક કહેવામાં આવે છે. હીટ સ્ટ્રોકના કિસ્સામાં કયા પ્રકારના ઘરગથ્થુ ઉપચાર કરી શકાય?
હીટ સ્ટ્રોકના કિસ્સામાં, સૌ પ્રથમ શરીરના વધેલા તાપમાનને કંટ્રોલ કરવાની અને ડિહાઇડ્રેશન દૂર કરવાની જરૂર છે. આવી સ્થિતિમાં આ ઉપાયો અપનાવી શકાય છે. જેમ કે- જો કોઈ વ્યક્તિ માનસિક સમસ્યાઓથી પીડિત હોય, જેમ કે સ્ટટરિંગ, બેભાન થવું અથવા માનસિક ધ્રુજારી. આ સ્થિતિ ખતરનાક લેવલના હીટ સ્ટ્રોકની છે. આવી સ્થિતિમાં દર્દીને તાત્કાલિક હોસ્પિટલમાં લઈ જવો જોઈએ. કારણ કે આમાં શરીરનાં અંગોને નુકસાન થવાનું જોખમ રહેલું છે. વ્યક્તિએ પોતાની જાતે કોઈપણ પ્રકારની સારવાર ન કરવી જોઈએ. કારણ કે આવી સ્થિતિમાં થોડી બેદરકારી પણ દર્દીના મૃત્યુનું કારણ બની શકે છે. હીટ સ્ટ્રોકથી બચવા માટે કેવા પ્રકારની સાવચેતી રાખવી જોઈએ? હીટ સ્ટ્રોકથી બચવા માટે કેવો આહાર હોવો જોઈએ?
નિષ્ણાત તબીબના જણાવ્યા મુજબ, હીટ સ્ટ્રોકથી બચવા માટે ઘરની બહાર નીકળતા પહેલાં કંઈક ખાઓ. દાદા અને દાદી કહે છે કે ઘરની બહાર ક્યારેય ખાલી પેટ ન નીકળવું જોઈએ, તેની પાછળ વિજ્ઞાન છે. જ્યારે તમે ખાલી પેટે બહાર જાઓ છો, ત્યારે તમે ઝડપથી થાકી જાઓ છો અને ઇલેક્ટ્રોલાઇટ્સ ગુમાવો છો, જે ડિહાઇડ્રેશનનું કારણ બને છે. ગરમી અને સનસ્ટ્રોકથી બચવા માટે તમે નારિયેળ પાણી પી શકો છો. આ ઉપરાંત, તડકામાંથી આવ્યા પછી અથવા વધુ પડતો પરસેવો આવ્યા પછી તરત જ ઠંડું પાણી પીવું જોઈએ નહીં. ઉનાળામાં પાણીમાં લીંબુ અને મીઠું ભેળવીને દિવસમાં બે-ત્રણ વાર પીવું જોઈએ. આ હીટ સ્ટ્રોકનું જોખમ ઘટાડે છે. જે લોકો હીટ સ્ટ્રોકથી પરેશાન છે તેઓ માટે જવનો લોટ અને ડુંગળી પીસીને પેસ્ટ બનાવો અને તેને શરીર પર લગાવો, તેનાથી તેમને ઘણી રાહત થશે. તડકામાંથી બહાર આવ્યા પછી ડુંગળીનો થોડો રસ મધમાં ભેળવીને ચાટવાથી હીટ સ્ટ્રોકનું જોખમ ઓછું થાય છે. ઉનાળાની ઋતુમાં જમ્યા પછી ગોળ ખાવાથી હીટ સ્ટ્રોકનું જોખમ પણ ઓછું થઈ જાય છે. ઉનાળામાં હળવો ખોરાક લેવો જોઈએ અને ડાયટમાં દહીંનો સમાવેશ કરવો જોઈએ.
રાજ્યમાં હિટવેવના દિવસોની સંખ્યા સામાન્ય કરતાં વધુ રહી શકે છે. માર્ચના પ્રથમ અઠવાડિયામાં જ ગરમીનો માહોલ ઘેરાતો હોવાથી બપોરના સમયે લોકો માટે બહાર નીકળવું મુશ્કેલ બની શકે છે. ખાસ કરીને મહાનગરોમાં સિમેન્ટ-કોંક્રીટના જંગલ અને વાહનવ્યવહારના કારણે તાપમાન વધુ અનુભવાય છે. સૌરાષ્ટ્ર અને કચ્છમાં સૂકું અને તડકાભર્યું હવામાન રહેતાં બપોરે તાપમાન 38થી 40 ડિગ્રી સુધી પહોંચી શકે છે. આગામી દિવસોમાં તાપમાનમાં વધુ વધારો થાય તો રાજ્યમાં હિટવેવની શરૂ થઈ શકે છે. ડીસામાં સૌથી વધુ તાપમાન નોંધાયું
માર્ચની શરૂઆત સાથે જ ઉનાળાએ તીવ્ર રૂપ ધારણ કર્યું છે અને લોકો માટે આ વર્ષે ગરમી વધુ કઠિન સાબિત થવાની શક્યતા છે. માર્ચની શરૂઆતમાં જ ઉત્તર ગુજરાતમાં ગરમીનો પારો 34 ડિગ્રીએ પહોંચી ગયો છે. ડીસામાં સૌથી વધુ તાપમાન 34.2 ડિગ્રી નોંધાયું છે, જેથી આ વર્ષે કાળઝાળ ગરમી રેકોર્ડ તોડે તેવી પણ શક્યતા વ્યક્ત કરવામાં આવી છે. મોટા ભાગના શહેરોમાં લોકોને આકરો તાપ સહન કરવો પડશે. આગામી પાંચ દિવસ ઉકળાટ ભર્યું વાતાવરણ રહેશેઃ હવામાન વિભાગ
હવામાન વિભાગના વૈજ્ઞાનિક પ્રદીપ શર્માએ જણાવ્યું હતું કે, છેલ્લા 24 કલાકમાં મહત્તમ તાપમાનમાં કોઈ બદલાવ જોવા મળ્યો નથી. સૌથી વધુ તાપમાન ઉત્તર ગુજરાતમાં ડીસામાં 34.2 ડિગ્રી નોંધાયું છે. લઘુત્તમ તાપમાન 15.8 ડિગ્રી નલિયામાં નોંધાયું છે. આગામી 4 દિવસમાં લઘુત્તમ તાપમાનમાં 2થી 3 ડિગ્રી ફેરફાર થવાની શક્યતા છે. સૌરાષ્ટ્ર અને કચ્છમાં ગરમીનું પ્રમાણ સામાન્ય કરતાં વધુ જોવા મળશે. તેમજ આગામી પાંચ દિવસ ઉકળાટ ભર્યું વાતાવરણ રહેશે. આગામી દિવસોમાં તાપમાન 37થી 39 ડિગ્રી સુધી પહોંચવાની પૂરેપૂરી શક્યતા છે. લૂ કે હીટવેવ શું છે?
જવાબ- IMD (ભારત હવામાન વિભાગ) અનુસાર, જ્યારે મેદાની વિસ્તારોમાં મહત્તમ તાપમાન 40 ડિગ્રી સેલ્સિયસ અને પહાડી વિસ્તારોમાં તાપમાન 30 ડિગ્રી સેલ્સિયસ સુધી પહોંચે છે, ત્યારે ગરમ હવા ફૂંકાવા લાગે છે. જો કોઈપણ વિસ્તારમાં તાપમાન 47 ડિગ્રી સેલ્સિયસ સુધી પહોંચે છે, તો તેને હીટવેવની ખતરનાક શ્રેણી માનવામાં આવે છે. હીટ સ્ટ્રોકનું કારણ શું છે?
આપણા શરીરનું સામાન્ય તાપમાન 37 ડિગ્રી સેલ્સિયસ છે. પરંતુ ઉનાળા દરમિયાન આસપાસના વાતાવરણનું તાપમાન 40 થી 45 ડિગ્રી સુધી પહોંચી જાય છે. આવી સ્થિતિમાં જ્યારે આપણે તીવ્ર સૂર્યપ્રકાશ અથવા ગરમ હવામાં બહાર જઈએ છીએ, ત્યારે આસપાસનું વાતાવરણ આપણા શરીરનું તાપમાન વધારી દે છે. જ્યારે આપણા શરીરનું તાપમાન સામાન્ય શરીરના તાપમાન એટલે કે 37 ડિગ્રી સેલ્સિયસ કરતાં વધી જાય છે, ત્યારે આ સ્થિતિને હીટ સ્ટ્રોક કહેવામાં આવે છે. હીટ સ્ટ્રોકના કિસ્સામાં કયા પ્રકારના ઘરગથ્થુ ઉપચાર કરી શકાય?
હીટ સ્ટ્રોકના કિસ્સામાં, સૌ પ્રથમ શરીરના વધેલા તાપમાનને કંટ્રોલ કરવાની અને ડિહાઇડ્રેશન દૂર કરવાની જરૂર છે. આવી સ્થિતિમાં આ ઉપાયો અપનાવી શકાય છે. જેમ કે- જો કોઈ વ્યક્તિ માનસિક સમસ્યાઓથી પીડિત હોય, જેમ કે સ્ટટરિંગ, બેભાન થવું અથવા માનસિક ધ્રુજારી. આ સ્થિતિ ખતરનાક લેવલના હીટ સ્ટ્રોકની છે. આવી સ્થિતિમાં દર્દીને તાત્કાલિક હોસ્પિટલમાં લઈ જવો જોઈએ. કારણ કે આમાં શરીરનાં અંગોને નુકસાન થવાનું જોખમ રહેલું છે. વ્યક્તિએ પોતાની જાતે કોઈપણ પ્રકારની સારવાર ન કરવી જોઈએ. કારણ કે આવી સ્થિતિમાં થોડી બેદરકારી પણ દર્દીના મૃત્યુનું કારણ બની શકે છે. હીટ સ્ટ્રોકથી બચવા માટે કેવા પ્રકારની સાવચેતી રાખવી જોઈએ? હીટ સ્ટ્રોકથી બચવા માટે કેવો આહાર હોવો જોઈએ?
નિષ્ણાત તબીબના જણાવ્યા મુજબ, હીટ સ્ટ્રોકથી બચવા માટે ઘરની બહાર નીકળતા પહેલાં કંઈક ખાઓ. દાદા અને દાદી કહે છે કે ઘરની બહાર ક્યારેય ખાલી પેટ ન નીકળવું જોઈએ, તેની પાછળ વિજ્ઞાન છે. જ્યારે તમે ખાલી પેટે બહાર જાઓ છો, ત્યારે તમે ઝડપથી થાકી જાઓ છો અને ઇલેક્ટ્રોલાઇટ્સ ગુમાવો છો, જે ડિહાઇડ્રેશનનું કારણ બને છે. ગરમી અને સનસ્ટ્રોકથી બચવા માટે તમે નારિયેળ પાણી પી શકો છો. આ ઉપરાંત, તડકામાંથી આવ્યા પછી અથવા વધુ પડતો પરસેવો આવ્યા પછી તરત જ ઠંડું પાણી પીવું જોઈએ નહીં. ઉનાળામાં પાણીમાં લીંબુ અને મીઠું ભેળવીને દિવસમાં બે-ત્રણ વાર પીવું જોઈએ. આ હીટ સ્ટ્રોકનું જોખમ ઘટાડે છે. જે લોકો હીટ સ્ટ્રોકથી પરેશાન છે તેઓ માટે જવનો લોટ અને ડુંગળી પીસીને પેસ્ટ બનાવો અને તેને શરીર પર લગાવો, તેનાથી તેમને ઘણી રાહત થશે. તડકામાંથી બહાર આવ્યા પછી ડુંગળીનો થોડો રસ મધમાં ભેળવીને ચાટવાથી હીટ સ્ટ્રોકનું જોખમ ઓછું થાય છે. ઉનાળાની ઋતુમાં જમ્યા પછી ગોળ ખાવાથી હીટ સ્ટ્રોકનું જોખમ પણ ઓછું થઈ જાય છે. ઉનાળામાં હળવો ખોરાક લેવો જોઈએ અને ડાયટમાં દહીંનો સમાવેશ કરવો જોઈએ.
