– એક સાથે 23 રાંદલમાના મઠ નીકળતા ભક્તિમય વાતાવરણ
– પાટડી દરબારે ઢોલ બંધ રાખી માતમ મનાવવા ફરમાન કર્યું, માતાજીએ પરચો આપતા બે ઢોલ વગાડવાનું કહ્યાની વાયકા
અમદાવાદ : વિરમગામતાલુકાના મોટા ગોરૈયાગામે ભાદરવા માસના પ્રથમ સોમવારે રાંદલમાનો અનોખો મેળો ભરાય છે. જેમાં દળવાના દાતાર મા રાંદલની માનતા પુરી કરવા ભાદરવા માસના પ્રથમ રવિવારે ગામના પટેલ, નાડોદા રાજપૂત, રાજપૂત, દલવાડી, હરીજન વગેરે ગામની દરેક જ્ઞાતિઓના લોકોના ઘરે રાંદલમા તેડવામાં આવે છે. સોમવારે સાવરે દરેક મહોલ્લાઓ, શેરીઓમાં રાંદલમાના મઠ સાથે ઉપાડી એક સાથે ગામની બહાર આવેલા ભવાની માના મંદિરે વિસર્જન કરવામાં આવે છે.
