Jamnagar : જામનગર શહેરમાં એક પરિણીત મહિલાએ પોતાના પતિ, સાસુ, સસરા તેમજ અન્ય બે સાસરીયાઓ સામે શારીરિક અને માનસિક ત્રાસ, ગાળાગાળી તથા જાનથી મારી નાખવાની ધમકી આપવાના આક્ષેપો સાથે પોલીસ ફરિયાદ નોંધાવી છે.

 ફરિયાદ મુજબ, જામનગરના કાલાવડ નાકા બહાર વિસ્તારમાં રહેતી અને ખાનગી શાળામાં શિક્ષિકા તરીકે ફરજ બજાવતી ઉઝમાબાનુએ પોતાના પતિ તોશીફભાઈ હુસેનભાઈ બ્લોચ, સાસુ રોશનબેન, સસરા હુસેનભાઈ બ્લોચ, મામાજી સસરા મહમદ હુસેનભાઈ બ્લોચ અને મામીજી સાસુ સમીમબેન સામે ફરિયાદ નોંધાવી છે.

 ફરિયાદીના જણાવ્યા અનુસાર જાન્યુઆરી-2024માં નિકાહ થયા બાદ શરૂઆતના થોડા સમય પછીથી પતિ અને સાસરીયાઓ દ્વારા નાની-નાની બાબતોમાં ઝઘડા, ગાળાગાળી, મેણાટોણા તેમજ માનસિક ત્રાસ આપવામાં આવતો હતો. ફરિયાદમાં એવો પણ આક્ષેપ કરવામાં આવ્યો છે કે પતિએ તેમના નામે ક્રેડિટ કાર્ડનો ઉપયોગ કર્યો હતો અને તેની બાકી રકમ ફરિયાદીએ ચૂકવવી પડી હતી.

Copyright 2025. All right reserved. The Gujrat Live News Website Design by E- MEDIA Web & App - 7999906109
error: Content is protected !!