ભાવનગર રેન્‍જ આઇ.જી.પી.શ્રી ગૌતમ પરમાર સાહેબ દ્રારા રેન્‍જના જિલ્લાઓમાં ગેરકાયદેસર ખનીજ ચોરી કરતા ઇસમો વિરૂધ્ધ કાર્યવાહી કરવા સુચના આપેલ હોય, અમરેલી પોલીસ અધિક્ષકશ્રી સંજય ખરાત નાઓએ અમરેલી જિલ્લામાં ખાણ ખનીજની ગેરકાયદેસરની પ્રવૃતિ કરતા વાહન ચાલકો વિરૂધ્ધમાં કાયદેસરની કાર્યવાહી કરવા અમરેલી જિલ્લા પોલીસને માર્ગદર્શન આપેલ.

 

જે અન્‍વયે અમરેલી એલ.સી.બી. પોલીસ ઇન્‍સ. શ્રી વી. એમ. કોલાદરા નાઓની રાહબરી હેઠળ એલ.સી.બી. ટીમ દ્રારા છેલ્લા એક માસ દરમ્યાન અમરેલી જિલ્લામાં અલગ અલગ વિસ્તારોમાં પેટ્રોલીંગ કરી ગેરકાયદેસર રીતે રેતી (ખનીજ)ની ચોરી કરતા ૦૭ ડમ્પર, ૦૨ – ટ્રેકટર મળી કુલ ૦૯ વાહનોને ખાણ ખનીજ કાયદા હેઠળ ડીટેઇન કરી, કાયદેસરની કાર્યવાહી કરવામાં આવેલ છે.

રિપોર્ટર વિનુભાઈ પરમાર દામનગર

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Copyright 2025. All right reserved. The Gujrat Live News Website Design by E- MEDIA Web & App - 7999906109
error: Content is protected !!