
Gujarat Water Crisis Deepens: ગુજરાતમાં કાળઝાળ ગરમી વચ્ચે હવે ચોમાસાના આગમનની આતુરતાપૂર્વક રાહ જોવાઈ રહી છે. જોકે, વરસાદ પડે તે પહેલાં રાજ્યમાં પાણીની ચિંતાજનક સ્થિતિ સામે આવી છે. હાલમાં રાજ્યના કુલ 207 જળાશયોમાં સરેરાશ જળસ્તર માત્ર 55.24 ટકા જ બચ્યું છે. ચિંતાની વાત એ છે કે રાજ્યના 88 જળાશયોમાં પાણીનું સ્તર 20 ટકાથી પણ ઓછું થઈ ગયું છે, જ્યારે 10 મોટા ડેમ તો સાવ તળિયાઝાટક થઈ ગયા છે, જેને પગલે વહીવટી તંત્ર અને નાગરિકોની ચિંતામાં વધારો થયો છે.
