પાળીયાદ મહાજન પાંજરાપોળ અને ગૌશાળા ટ્રસ્ટના પ્રેરક પરિવારના લાગણીશીલ ભારતીબેન ગુણવંતભાઈ ગોપાણી ના જન્મદિવસ નિમિત્તે બાબરકોટ સ્કૂલ તેમજ દરબારગઢ સ્કૂલ ના બાળકોને બટુક ભોજન કરાવવામાં આવ્યું

તારીખ 7/1/2026 ને બુધવારના રોજ પાળીયાદ નિવાસી હાલ મુંબઈ ભારતીબેન ગુણવંતભાઈ ગોપાણી ના જન્મદિવસ નિમિત્તે પાંજરાપોળ પટાંગણમાં બાબરકોટ સ્કૂલના તેમજ પાળીયાદ દરબારગઢ સ્કૂલના 500 ભૂલકાઓને ગુંદર પાક સેવ મમરી ચણા તથા મરચા નું ભોજન કરાવવામાં આવેલ હતું. બન્ને સ્કૂલના આચાર્યશ્રી તરફથી શ્રી ભારતીબેન ને સ્નેહ સ્મરણાંજલિ અર્પણ કરી ખૂબ ખૂબ આભાર વ્યક્ત કર્યો હતો.
The Gujarat Live News
અહેવાલ કનુભાઈ ખાચર
