
Ahmedabad Crime: અમદાવાદના મેઘાણીનગર બસ સ્ટેન્ડ પર ઘાતકી હત્યા થયાની ઘટના સામે આવી છે. અહીં બે જૂથ વચ્ચે તલવાર અને ચપ્પુ જેવા ઘાતક હથિયારો વડે થયેલા હુમલામાં એક યુવકની હત્યા થતાં ખળભળાટ મચી ગયો છે. મૃતક યુવકની ઓળખ હિંમતસિંહ પવાર તરીકે થઈ છે, જે નિવૃત્ત આર્મીમેન જયસિંહ પવારના પુત્ર હતા. મહત્ત્વનું છે કે, સામાન્ય ઝઘડામાંથી શરૂ થયેલી બબાત જોતજોતામાં હત્યામાં પરિણમી હતી. આ મામલે પોલીસે બંને જૂથોની સામસામે ફરિયાદ નોંધી છે.
