
વડોદરાઃ આઝાદી પહેલા સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓના ભાગરુપે યોજાયેલી અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની ચૂંટણીમાં સરદાર પટેલ માત્ર એક મતથી જીત્યા હતા અને આ એક મતે દેશની તકદીર બદલી નાંખી હતી તેમ પ્રધાનમંત્રી સંગ્રહાલય અને લાઈબ્રેરીના સભ્ય તથા ઈતિહાસકાર ડો.રિઝવાન કાદરીએ જણાવ્યું હતું.
એમ.એસ.યુનિવર્સિટીના ઈન્સ્ટિટયુટ ઓફ લીડરશિપ એન્ડ ગર્વનન્સ દ્વારા દેશની એકતાના પ્રતિક સરદાર પટેલ પર બે દિવસના સર્ટિફિકેટ કોર્સનું આયોજન કરાયું છે.
