મોરબીના રવાપર ઘૂનડા રોડ પર આવેલા એક એપાર્ટમેન્ટમાં વહેલી સવારે એક સગીરાએ 11મા માળેથી પડતું મૂકી જીવન ટૂંકાવ્યું છે. પ્રાથમિક તપાસમાં અભ્યાસના તણાવને કારણે આ અંતિમ પગલું ભર્યું હોવાનું સામે આવ્યું છે. ઘટનાની વિગત મળતી માહિતી મુજબ, રવાપર ઘૂનડા રોડ પર સ્થિત ‘કસોરા 11’ (Kasora 11) એપાર્ટમેન્ટના બ્લોક નંબર 503માં રહેતા સુનિલ માલાસણાની 16 વર્ષીય પુત્રી દેવાંગીએ વહેલી સવારે બિલ્ડિંગની છત પરથી ઝંપલાવ્યું હતું. 11મા માળેથી પટકાવાને કારણે ગંભીર ઈજાઓ થતા સગીરાનું ઘટનાસ્થળે જ કરુણ મોત નીપજ્યું હતું. પોલીસ કાફલો દોડી ગયો
તપાસ અને કાર્યવાહી ઘટનાની જાણ થતા જ મોરબી એ-ડિવિઝન પોલીસ કાફલો સ્થળ પર દોડી ગયો હતો. તપાસ અધિકારી વિપુલ ફુલતરિયાની પ્રાથમિક પૂછપરછમાં જાણવા મળ્યું છે કે, મૃતક દેવાંગી છેલ્લા કેટલાક સમયથી અભ્યાસના ભારણને લીધે માનસિક તણાવમાં રહેતી હતી. આ ટેન્શનમાં જ તેણે આઘાતજનક પગલું ભર્યું હોવાનું માનવામાં આવે છે. અકસ્માતથી મોતનો ગુનો નોંધ્યો
પોલીસે સગીરાના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે મોરબીની સરકારી હોસ્પિટલ ખાતે ખસેડ્યો છે. એ-ડિવિઝન પોલીસે આ મામલે અકસ્માત મોતનો ગુનો નોંધી આગળની કાયદેસરની તપાસ હાથ ધરી છે.

You missed

Copyright 2025. All right reserved. The Gujrat Live News Website Design by E- MEDIA Web & App - 7999906109
error: Content is protected !!