
કપડવંજના આલમપુરા પાટિયા પાસે ગમખ્વાર અકસ્માત
પીકઅપ વાનમાં કોંક્રિટ મીક્ષર મશીન ભરી મજૂરોને જોખમી રીતે લઈ જવાતા હતા : એસટી બસ સ્ટેન્ડ પર પેસેન્જર ભરવા બસ ધીમી પડી ત્યારે પીકઅપ વાન ટકરાયું : પીકઅપ વાનનો ચાલક ફરાર
કપડવંજ: કપડવંજ તાલુકાના આલમપુરા પાટિયા પાસે પીકઅપ વાન એસટી બસ પાછલ અથડાયાયું હતું. અકસ્માત બાદ પીકઅપ વાન પલટી જતા બે વ્યક્તિના મોત થયા છે. જયારે ૧૮ લોકોને ઇજા થતાં સારવાર માટે ખસેડાયા હતા.
