
ટ્રાફિકની અંધાધૂંધીને કારણે લોકોની મજા બગડી
ટ્રાફિકનું નિયમન યોગ્ય નહીં હોવાની ફરિયાદો, ટ્રાફિક બ્રાંચના અધિકારીઓએ કહ્યું 400 માણસો તહેનાત હતા
રાજકોટ: અટલ સરોવર પાસે આજે યોજાયેલા એર શોને લોકોએ મનભરીને માણ્યો હતો. પરંતુ એર શો પુરો થયા બાદ ટ્રાફિકની અંધાધૂંધીને કારણે વાહનચાલકોને પારાવાર મુશ્કેલીનો સામનો કરવો પડયો હતો. એકાદ કલાક સુધી એર શો ચાલ્યો હતો. જેની સામે વાહનચાલકો કહે છે દોઢેક કલાક સુધી ટ્રાફિક જામમાં ફસાયેલા રહ્યા હતા.
