
– ઉલ્લંઘન કરનાર સામે મહાનગરપાલિકા કાર્યવાહી કરશે
– બાંધકામ કરતી એજન્સીઓને ધૂળ ઉડતી રોકવા ગ્રીન નેટનો ઉપયોગ કરવા, વાહનો ઢાંકીને પરિવહન કરવા સૂચના
નડિયાદ : નડિયાદમાં એર ક્વોલિટી ઈન્ડેક્સમાં સુધારો લાવવાના હેતુથી મહાનગરપાલિકા તંત્ર દ્વારા સાવચેતી રાખવા માટેની માર્ગદશકા જાહેર કરવામાં આવી છે. હવામાં રજકણોનું પ્રમાણ ઘટાડવા માટે નડિયાદ મ્યુનિસિપલ કોર્પોરેશન વિસ્તારમાં કાર્યરત તમામ કોન્ટ્રાક્ટરો અને એજન્સીઓએ ચોક્કસ નિયમોનું પાલન કરવાનું રહેશે. શહેરમાં પ્રદૂષણ ફેલાવતી પ્રવૃત્તિઓ રોકવા અને બાંધકામની સાઇટો પરથી ઉડતી ધૂળને નિયંત્રિત કરવા માટે આદેશ આપવામાં આવ્યા છે.
