​બજાર સમિતિ ઊંઝામાં નિષ્ઠાપૂર્વક ફરજ બજાવતા અને ચાલુ ફરજ દરમિયાન અવસાન પામેલ કર્મચારીઓના આશ્રિત કુટુંબીજનો પ્રત્યે સંવેદના પ્રગટ કરી, બજાર સમિતિ, ઊંઝા દ્વારા આર્થિક સહાયનો મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવ્યો છે.

​કુલ 5 દિવંગત કર્મચારીઓના પરિવારોને ​પ્રત્યેક પરિવારને ₹8 લાખની ઉચ્ચક નાણાકીય સહાય, કુલ ₹40 લાખ ચૂકવવામાં આવ્યા.

​આ પ્રસંગે ઊંઝાના લોકપ્રિય ધારાસભ્ય શ્રી કિરીટભાઈ કે. પટેલ, બજાર સમિતિના ચેરમેન શ્રી દિનેશકુમાર પટેલ સહિત તમામ ડિરેક્ટરશ્રીઓ ખાસ ઉપસ્થિત રહ્યા હતા અને શોકગ્રસ્ત પરિવારોને સાંત્વના પાઠવી હતી.

​કર્મચારી એ સંસ્થાનો પરિવાર છે, અને મુશ્કેલ સમયમાં પરિવારની પડખે ઊભા રહેવું એ જ સાચી માનવતા છે.

The Gujarat Live News 

અહેવાલ : આશિષ પટેલ, ઐઠોર 

Mo : 987 986 1970

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You missed

Copyright 2025. All right reserved. The Gujrat Live News Website Design by E- MEDIA Web & App - 7999906109
error: Content is protected !!