સુરતમાં પાટીદાર સમાજની દીકરી આરતી સાંગાણીનો લવમેરેજ બાદ તાજેતરમાં પાટીદાર સમાજમાંથી રિદ્ધિ રાજપરા નામની સિંગરે લવમેરેજ કરતા વિવાદ થયો છે. લોકગાયિકા રિદ્ધિ રાજપરાએ મ્યુઝિક રિધમ આર્ટિસ્ટ જયેશ વાઘેલા સાથે ભાગીને લગ્ન કરી લેતા સમાજમાં રોષ છે. આ વિવાદ વચ્ચે સુરતના અગ્રણી પાટીદાર લોકગાયકોએ વાલીઓને ચોંકાવનારી અપીલ કરી છે કે, પાટીદાર સમાજમાં દીકરીઓને સિંગર ન બનાવવી જોઈએ, અહીં દીકરીઓએ માત્ર ભોગ જ બનવું પડે છે. દીકરીઓના લવમેરેજ અને આંતજ્ઞાતિય લગ્ન અંગે અપાતી સલાહો અંગે દિવ્ય ભાસ્કરે અમદાવાદીઓના મંતવ્ય જાણવાનો પ્રયાસ કર્યો છે. જેમાં લોકોએ કહ્યું છે કે, આ બાબતમાં સમાજના ઠેકેદારોને રસ છે અને સમાજને નહીં. આ લોકોએ શું શું કહ્યું તે અંગે જાણવા ઉપરની તસવીર ક્લિક કરો.
