
શહેરના વોર્ડનં.૧૮ના માંજલપુર વિસ્તારમાં કોતર તલાવડી નજીક દર્શનનગરના રહીશોમાં પ્રાથમિક સુવિધાઓના અભાવ સામે તંત્ર વિરુદ્ધ ભારે આક્રોશ જોવા મળ્યો છે. આજે મોટી સંખ્યામાં રહીશો એકત્ર થયા હતા અને તંત્ર વિરુદ્ધ સૂત્રોચાર કરી વિરોધ દર્શાવ્યો હતો. વિરુદ્ધ સૂત્રોચાર
રહિશોનું કહેવું છે કે, અમારા વિસ્તારમાં વર્ષોથી સારો રસ્તો નથી, જેના કારણે ચોમાસામાં કાદવ અને પાણી ભરાવાની સમસ્યા થાય છે. પીવાના પાણીની લાઇનમાંથી વારંવાર દૂષિત પાણી આવે છે, જેના કારણે સ્વાસ્થ્યની ચિંતાઓ વધે છે.
| Source permalink: | https://www.gujaratsamachar.com/news/gujarat/residents-express-anger-against-the-administration-over-the-issue-of-basic-amenities |
