આગામી 15 મનપાની ચૂંટણીને લઈ ભાજપે સેન્સ પ્રક્રિયાનો આરંભ કર્યો છે. આજે સુરત રાજકોટ અને વડોદરા સહિતના શહેરોમાં સેન્સ લેવામાં આવી રહી છે. જેથી ચૂંટણી લડવા ઇચ્છુક નેતાઓ દાવેદારી કરવા આવી રહ્યા છે. સેન્સ પ્રક્રિયા માટે ભાજ પ્રદેશ હાઇકમાન્ડે ઇન્કમટેક્સ અધિકારીઓ જે રીતે રેડા કરવા જાય એવી સ્ટ્રેટેજી અપનાવી હતી. ટિકિટોમાં સેટિંગ ન થાય એટલા માટે નિરિક્ષિકોના નામને લઈ સૌને અંધારામાં રાખ્યા હતા અને છેક સુધી નામો જાહેર કર્યા નહોતા. સવારે જ્યારે સેન્સ પ્રક્રિયા શરૂ કરવામાં આવી ત્યારે દાવેદારોને પણ આંચકો લાગ્યો હતો. રાજકોટમાં તો અમદાવાદ ભાજપની ટીમ સેન્સ માટે સીધી જ હાજર થઈ હતી. સુરત મહાનગરપાલિકાની આગામી ચૂંટણીનો શંખનાદ ફૂંકાઈ ચૂક્યો છે. ભારતીય જનતા પાર્ટી દ્વારા ઉમેદવારોની પસંદગી માટે આજથી વિધિવત રીતે ‘સેન્સ’ લેવાની પ્રક્રિયા હાથ ધરવામાં આવી છે. ઉધના ભાજપ કાર્યાલય ખાતે સવારના 10 વાગ્યાથી કાર્યકર્તાઓ અને દાવેદારોની ભારે ભીડ જોવા મળી છે. પ્રથમ તબક્કામાં વોર્ડ નંબર 1 થી 12ના ઈચ્છુક ઉમેદવારોને સાંભળવામાં આવી રહ્યા છે. જેમાં પાટીદાર બહુમતી ધરાવતા વિસ્તારો પર સૌની નજર છે. સુરતમાં ભાજપ-AAP વચ્ચે જંગ
સુરતમાં આજની સેન્સ પ્રક્રિયામાં જે 12 વોર્ડ લેવામાં આવ્યા છે, તેમાંથી 7 જેટલા વોર્ડ પાટીદાર મતદારોના વર્ચસ્વ વાળા છે. મોટા વરાછા, સરથાણા, કાપોદ્રા, ફુલપાડા, કતારગામ અને સીંગણપોર જેવા વિસ્તારોમાં ગત ચૂંટણીમાં આમ આદમી પાર્ટીએ ભાજપને જોરદાર લડત આપી હતી. આ વખતે ભાજપ કોઈ પણ પ્રકારનું જોખમ લેવા માંગતું નથી. આ વિસ્તારોમાં મજબૂત અને લોકપ્રિય ચહેરાઓની શોધ માટે નિરીક્ષકો ઝીણવટભરી તપાસ કરી રહ્યા છે. ખાસ કરીને વરાછા અને કતારગામ ઝોનમાં ઉમેદવારી કરવા માટે સૌથી વધુ ધસારો જોવા મળી રહ્યો છે. રાજકોટમાં દાવેદારોને સાંભળ્યા
રાજકોટ મનપા માટે બે દિવસ રાજકોટ શહેર ભાજપ કાર્યાલય કમલમ ખાતે સેન્સ પ્રક્રિયા શરૂ કરવામાં આવી છે. જેમાં પ્રદેશ ભાજપ દ્વારા 9 નિરીક્ષકોની નિમણુંક કરવામાં આવી છે તે 9 નિરીક્ષકોમાં રાજ્ય સરકારના મંત્રી દર્શનાબેન વાઘેલા, જીતુ પટેલ, જીગ્નેશ સેવક, પૂર્વ સાંસદ ભાવનાબેન, યુવા મોરચાના મહામંત્રી ડો.નરેશ દેસાઈ, રાજેન્દ્રભાઈ પટેલ, નટુજી ઠાકોર, સુરેશ પટેલ અને સીતાબેન પટેલ ઉપસ્થિત રહી દાવેદારોને સાંભળી રાજકોટના 18 વોર્ડની યાદી બનાવી પ્રદેશમાં મોકલી આપશે. ઉલ્લેખનીય છે કે આજરોજ દાવેદારી કરવા માટે દરેક વોર્ડમાંથી 50 કરતા વધુ દાવેદારો પોતાની દાવેદારી નોંધાવવા માટે આવી રહ્યા છે.
સુરતમાં આજની સેન્સ પ્રક્રિયામાં જે 12 વોર્ડ લેવામાં આવ્યા છે, તેમાંથી 7 જેટલા વોર્ડ પાટીદાર મતદારોના વર્ચસ્વ વાળા છે. મોટા વરાછા, સરથાણા, કાપોદ્રા, ફુલપાડા, કતારગામ અને સીંગણપોર જેવા વિસ્તારોમાં ગત ચૂંટણીમાં આમ આદમી પાર્ટીએ ભાજપને જોરદાર લડત આપી હતી. આ વખતે ભાજપ કોઈ પણ પ્રકારનું જોખમ લેવા માંગતું નથી. આ વિસ્તારોમાં મજબૂત અને લોકપ્રિય ચહેરાઓની શોધ માટે નિરીક્ષકો ઝીણવટભરી તપાસ કરી રહ્યા છે. ખાસ કરીને વરાછા અને કતારગામ ઝોનમાં ઉમેદવારી કરવા માટે સૌથી વધુ ધસારો જોવા મળી રહ્યો છે. રાજકોટમાં દાવેદારોને સાંભળ્યા
રાજકોટ મનપા માટે બે દિવસ રાજકોટ શહેર ભાજપ કાર્યાલય કમલમ ખાતે સેન્સ પ્રક્રિયા શરૂ કરવામાં આવી છે. જેમાં પ્રદેશ ભાજપ દ્વારા 9 નિરીક્ષકોની નિમણુંક કરવામાં આવી છે તે 9 નિરીક્ષકોમાં રાજ્ય સરકારના મંત્રી દર્શનાબેન વાઘેલા, જીતુ પટેલ, જીગ્નેશ સેવક, પૂર્વ સાંસદ ભાવનાબેન, યુવા મોરચાના મહામંત્રી ડો.નરેશ દેસાઈ, રાજેન્દ્રભાઈ પટેલ, નટુજી ઠાકોર, સુરેશ પટેલ અને સીતાબેન પટેલ ઉપસ્થિત રહી દાવેદારોને સાંભળી રાજકોટના 18 વોર્ડની યાદી બનાવી પ્રદેશમાં મોકલી આપશે. ઉલ્લેખનીય છે કે આજરોજ દાવેદારી કરવા માટે દરેક વોર્ડમાંથી 50 કરતા વધુ દાવેદારો પોતાની દાવેદારી નોંધાવવા માટે આવી રહ્યા છે.
