પાટણ જિલ્લાના સાદપુરા ગામમાં શ્રી મસાણીયા હનુમાનજી મહારાજનું પૌરાણિક મંદિર આવેલ છે જે મંદિર ગામ હનુમાન તરીકે ઓળખવામાં આવે છે

આજે દર વર્ષની જેમ મંદિરમાં ઉજવણી કરવામાં આવી જેમાં સમસ્ત સાદપુરા ગામના લોકો જોડાયા આ ગામમાં એક વર્ષો જુની પ્રથા છે કે આજના દિવસે ગામના કોઈપણ લોકો કામ પર જતા નથી અને સમસ્ત ગામ એક સાથે મળી હનુમાનજીની પૂજા અર્ચના કરે છે જ્યારે બહારગામ વસતા લોકો પણ આ પ્રથા નું પાલન કરે છે અને પોતાના ધંધા રોજગાર બંધ રાખે છે અને રાત્રે ત્યાં ભજન સંતવાણી પણ રાખવામાં આવે છે
The Gujarat Live News અહેવાલ મુકેશભાઈ પ્રજાપતિ સાંતલપુર
