
વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા શહેરના પૂર્વ વિસ્તારમાં વોર્ડ નંબર 16માં ગુરુકુળ ચાર રસ્તાથી નેશનલ હાઇવે સુધી 3.43 કરોડના ખર્ચે વરસાદી ગટરની કામગીરી શરૂ કરવામાં આવી છે. હાલમાં આ રોડ ઉપર વરસાદી ગટર નહીં હોવાથી ચોમાસામાં પાણી ભરાઈ જાય છે, અને લોકોને હાલત કફોડી બને છે. વરસાદી ગટરની કામગીરી પૂર્ણ થતા ચોમાસામાં ભરાતા વરસાદી પાણીનો ઝડપથી નિકાલ થશે. ગુરૂકુલ ચાર રસ્તાથી હાઇવે સુધી 27 મીટરના રસ્તે યોગીરાજ ટાઉનશીપ, નીલામ્બર ટાઉનશીપ, સિધ્ધેશ્વર હેલીકોમ, પર્ણકુટીર, પ્રથમ રેસીન્સી, આદિત્ય ઓર્બીટ ફ્લેટ જેવી અનેક સોસાયટી આવેલ છે. જેમાં અંદાજે 4થી5 હજાર જેટલા પરિવાર વસવાટ કરે છે.
