
વડોદરાઃ કેન્દ્ર સરકારે સેનામાં ભરતી માટે લાગુ કરેલી અગ્નિવીર યોજનાના ફાયદા અને ગેરફાયદા અંગે આજે પણ ચર્ચા થતી રહી છે.એમ.એસ.યુનિવર્સિટીની સોશ્યલ વર્ક ફેકલ્ટીના માસ્ટર ઓફ સોશ્યલ વર્ક કોર્સના વિદ્યાર્થી મનિષ જાંગીડે પોતાના અધ્યાપક ડો.શર્મિષ્ઠા સોલંકીના માર્ગદર્શન હેઠળ પહેલી વખત આ યોજના હેઠળ ભારતના વિવિધ હિસ્સાઓમાંથી પસંદ થયેલા ૫૦ અગ્નિવીરો પર રિસર્ચ હાથ ધર્યું હતું.
