
– નડિયાદ મહાનગરપાલિકાની બેદરકારીથી પ્રજા ત્રસ્ત
– કાટમાળ અને મશીનરી હોવાથી રસ્તો બ્લોક : રૃટ ડાયવર્ઝનની પણ જાણકારી ન હોવાથી લોકો ફસાયા
નડિયાદ : નડિયાદ મનપા દ્વારા હાથ ધરવામાં આવેલી સરદાર ભુવનના ડિમોલિશનની કામગીરીમાં તંત્રની બેદરકારી સામે આવી છે. શહેરના મુખ્ય માર્ગો પર દબાણ દૂર કરવા માટે હાથ ધરાયેલા ઓપરેશન પૂર્વે રસ્તા બંધ કરવા અંગેનું જાહેરનામું બહાર પાડવાનું મનપા તંત્ર ભૂલી જતા અનેક વિસ્તારોમાં ટ્રાફિકની વિકટ સમસ્યા સર્જાઈ હતી.
મહાનગરપાલિકા દ્વારા મંગળવારે વર્ષો જૂનું સરદાર ભુવન તોડી પાડવાની કામગીરીનું આયોજન કરવામાં આવ્યું હતું.
