
– ભાવનગરમાં રખડતા ઢોરનો ત્રાસ વધતા લોકોની મૂશ્કેલી વધી
– શાકમાર્કેટ, ઘોઘા જકાતનાકા, હલુરીયા ચોક, ભરતનગર, સરદારનગર સહિતના કેટલાક વિસ્તારમાં રખડતા ઢોર અડીંગો જમાવી બેઠા હોય છે
ભાવનગર : ભાવનગર શહેરમાં મહાપાલિકા દ્વારા દરરોજ રખડતા ઢોર પકડવાની કામગીરી કરવામાં આવે છે પરંતુ મહાપાલિકાની કામગીરી વચ્ચે પણ રખડતા ઢોરનો ત્રાસ યથાવત છે. ચોમાસામાં રખડતા ઢોરનો ત્રાસ વધુ હોય છે તેથી આ દિવસોમાં મહાપાલિકાની દોડધામ વધતી હોય છે. હાલ હજુ કેટલાક વિસ્તારમાં રખડતા ઢોરનો ત્રાસ યથાવત હોવાનુ જાણવા મળેલ છે.
