શું તમે જાણો છો કે તમારા બેંક ખાતામાંથી દર વર્ષે કપાતા માત્ર ₹20 તમને અને તમારા પરિવારને ₹2 લાખ સુધીનો એક્સિડન્ટ વીમો આપી શકે છે? મોટાભાગના લોકોને આ વિશે અધૂરી માહિતી હોય છે અથવા તેઓ તેને અન્ય યોજનાઓ સાથે ગૂંચવી દે છે. તો ચાલો, ભાસ્કર એક્સપ્લેનરમાં આપણે કેન્દ્ર સરકારની ‘પ્રધાનમંત્રી સુરક્ષા વીમા યોજના’ (PMSBY) વિશે વિગતવાર જાણીએ અને એ ભૂલોને સમજીએ જે સામાન્ય રીતે લોકો કરે છે. યોજના હેઠળ શું અને કેટલું કવર મળે છે? આ યોજના સંપૂર્ણપણે અકસ્માત પર કેન્દ્રિત છે. PMSBY અને PMJJBY વચ્ચેનો તફાવત સમજો સૌથી પહેલા એ સમજવું જરૂરી છે કે ₹20 વાળી પ્રધાનમંત્રી સુરક્ષા વીમા યોજના (PMSBY) અને ₹436 વાળી પ્રધાનમંત્રી જીવન જ્યોતિ વીમા યોજના (PMJJBY) બન્ને અલગ છે. કદાચ તમે પહેલાથી જ વીમાધારક છો! આશ્ચર્યની વાત એ છે કે લાખો લોકો આ યોજનામાં જોડાયેલા છે, પણ તેમને તેની જાણ જ નથી. જો તમારા બેંક ખાતામાંથી દર વર્ષે મે અથવા જૂન મહિનામાં ‘PMSBY’ ના નામે ₹20 ઓટો-ડેબિટ થયા હોય, તો અભિનંદન, તમે આ યોજના હેઠળ સુરક્ષિત છો. તમે તમારી બેંક પાસબુક અથવા ઓનલાઈન સ્ટેટમેન્ટમાં આ એન્ટ્રી ચકાસી શકો છો. આ 3 ટિપ્સ તમને નુકસાનથી બચાવશે કોણ અને કેવી રીતે જોડાઈ શકે છે? 18થી 70 વર્ષની ઉંમર ધરાવતો કોઈપણ ભારતીય નાગરિક કે જેમની પાસે બેંક ખાતું છે, તે આ યોજનામાં જોડાઈ શકે છે. આ માટે નજીકની બેંક શાખામાં જઈને આધારકાર્ડ સાથે એક સાદું ફોર્મ ભરવાનું રહે છે. આ ઉપરાંત, ‘જન ધન સે જન સુરક્ષા’ (jansuraksha.gov.in) પોર્ટલ પરથી પણ ફોર્મ ડાઉનલોડ કરી અરજી કરી શકાય છે. રોજના 5 પૈસા જેટલા નજીવા ખર્ચમાં મળતી આ સુરક્ષા માત્ર બચત નથી, પરંતુ કપરા સમયે પરિવારને મોટી આર્થિક રાહત આપતી એક જવાબદારી છે. દિવ્ય ભાસ્કર માટે સમીર પરમારનો રિપોર્ટ. સૌથી ઉપરના ફોટો પર ક્લિક કરો અને વીડિયોમાં વધુ માહિતી મેળવો
Copyright 2025. All right reserved. The Gujrat Live News Website Design by E- MEDIA Web & App - 7999906109
error: Content is protected !!