|| જય માં આશાપુરા || જય જલારામ બાપા || જય ગૌ માતા ||

​કચ્છની પાવન ધરા પર ગૂંજતો આશાપુરા માવડીનો જયઘોષ…

શ્રદ્ધાના ડગલે ચાલતા ભક્તોનો અખંડ વિશ્વાસ…

પગમાં ભલે છાલા પડે પણ મુખ પર માત્ર ને માત્ર માં નું નામ હોય,

અને આવા સાચા માઇભક્તોની નિઃસ્વાર્થ સેવા કરવી એ જ માનવતાનો સાચો ધર્મ હોય!

​વર્ષોની પરંપરા મુજબ આ વર્ષે પણ કચ્છ-માતાના મઢ તરફ આગળ વધી રહેલા હજારો શ્રદ્ધાળુ પદયાત્રી ભાઈઓ-બહેનોના ભાવભર્યા સ્વાગત, વિશ્રામ અને સેવા-સુશ્રૂષા માટેનો પાવન અવસર નજીક આવી રહ્યો છે.

માં આશાપુરા પદયાત્રી સેવા કેમ્પ શરૂ થવાને હવે ગણતરીના માત્ર ૨૧ દિવસ બાકી છે!

​આ સેવાયજ્ઞ શા માટે ખાસ છે?

​અવિરત સેવા યજ્ઞ: દિવસભર ચાલતી ચા-પાણી, ગરમાગરમ ભોજન, આરામ તથા પ્રાથમિક સારવારની નિઃશુલ્ક સુવિધા.

રાત્રે ભક્તિનો મહોત્સવ: દિવસભરની થકાવટ ભૂલીને માં ના ગુણગાન ગાવા દરરોજ રાત્રે ૯:૦૦ થી ૧૨:૦૦ કલાકે ભવ્ય રાસ-ગરબાની રમઝટ! ખેલૈયાઓના તાલ અને માવડીના સૂર વચ્ચે ભક્તિમય વાતાવરણ.

પરોપકારનું પુણ્ય: માનવસેવા અને જીવદયાનો પવિત્ર ત્રિવેણી સંગમ.

​આવો, પરિવાર અને સ્નેહીજનો સાથે પધારીને આ દિવ્ય સેવાયજ્ઞમાં યથાશક્તિ તન, મન કે ધનથી સહભાગી બનીએ. પદયાત્રીઓના ચહેરા પરનું સ્મિત અને તેમના મુખમાંથી નીકળતા આશીર્વાદ જ જીવનનું સૌથી મોટું પુણ્ય છે. આવા ભક્તિ અને સેવાના પાવન અવસરો વારંવાર નથી મળતા!

સ્થળ: નખત્રાણા થી ૩ કિલોમીટર પહેલા, સરકારી ગોડાઉનની બાજુમાં, નાગલપર

આયોજક: શ્રી ભીડભંજન હનુમાનજી ગૌશાળા | જય જલારામ જનસેવા કેમ્પ – વારાહી

​”સેવા એજ સાચી ભક્તિ… ચાલો સૌ ભાવથી સેવામાં જોડાઈએ!”

The Gujarat Live News અહેવાલ મુકેશભાઈ પ્રજાપતિ સાંતલપુર

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You missed

Copyright 2025. All right reserved. The Gujrat Live News Website Design by E- MEDIA Web & App - 7999906109
error: Content is protected !!