હિંમત વિદ્યાનગર સ્થિત શ્રી અમર જ્યોત એજ્યુકેશન ટ્રસ્ટ સંચાલિત શ્રી ત્રિકમજીભાઈ ચતવણી આર્ટ્સ ઍન્ડ જે.વી.ગોકળ ટ્રસ્ટ કૉમર્સ કૉલેજ, રાધનપુરમાં કોલેજના પ્રિ. ડૉ.સી.એમ.ઠક્કર સાહેબના અધ્યક્ષ સ્થાને તેમજ માર્ગદર્શન હેઠળ તા. 10/09/2025 ના રોજ આત્મહત્યા નિવારણ દિવસ તેમજ પોસ્ટર પ્રદર્શન દિવસનું આયોજન કરવામાં આવ્યું હતું.આ કાર્યક્રમની શરૂઆતમાં કૉલેજના પ્રિ. ડૉ.સી.એમ. ઠક્કરે પ્રાસંગિક ઉદબોધન કરેલ. ત્યારબાદ વક્તા તરીકે મનોવિભાગના અધ્યાપિક આરતીબેન જોષી તેમજ વિદ્યાર્થીની ભરવાડ હીરલ એ આત્મહત્યા નિવારણ અંગેની માહિતી આપી હતી. આ કાર્યક્રમનું સુંદર સંચાલન અને આભારવિધિ ડૉ.રોશનીબેન પટેલે કરી હતી.આ કાર્યક્રમમાં , પ્રા.રમેશભાઈ ચૌધરી, પ્રા.કામિનીબેન સુથાર અને વિદ્યાર્થીઓ મોટા પ્રમાણમાં ઉપસ્થિત રહ્યા હતા.
The Gujarat Live News અહેવાલ સુનિલભાઈ ગોકલાની ભાભર બનાસકાંઠા
