
વઢવાણ ખાતે રહેતા પરિવાર દ્વારા ૬૦ વર્ષથી સુશોભીત માટીના ગરબા બનાવવામાં આવે છે
રૃા.૩૦ થી લઈ રૃા.૧૮૦ સુધીના ગરબાઓની અવનવી વેરાયટીની ખરીદીમાં ભીડ
દર નવરાત્રી દરમ્યાન અંદાજે ૮૦૦થી વધુ માટીના ગરબાઓનું વેચાણ કરવામાં આવે છે
સુરેન્દ્રનગર – માં જગદંબાની આરાધનાના પર્વ એવા નવરાત્રિને ગણતરીના દિવસો બાકી છે ત્યારે માતાજીની આરાધના અને પૂજામાં પરંપરાગત રીતે વપરાતા માતાજીના માટીના ગરબાનું મહત્વ આજે પણ અકબંધ જોવા મળી રહ્યું છે અને વર્ષોથી સુરેન્દ્રનગર તેમજ વઢવાણ ખાતે માટીના ગરબા બનાવતા પરિવારો ગરબા બનાવી વેચાણ કરી સંસ્કૃતિને ઉજાગર કરે છે.
| Source permalink: | https://www.gujaratsamachar.com/news/gujarat/importance-of-installing-the-clay-garba-of-mataji-during-navli-navratri-is-still-intact |
