અમદાવાદ,રવિવાર
નડિયાદના વડતાલ ખાતે રહેતા અને વિઝા પ્રોસેસિંગનું કામ કરનારા વ્યક્તિને પંજાબ તેમજ હરિયાણાના એજન્ટ નવરંગપુરા સ્વસ્તિક ચાર રસ્તા પાસે મળ્યા હતા અને લોકોને કેનેડાના વિઝા તેમજ વર્ક પરમીટની લાલત આપીને રૃા. ૭૮ લાખ પડાવીને છેતરપિંડી કરી હતી. આ બનાવ અંગે નવરંગપુરા પોલીસે ચાર એજન્ટ તથા આંગડિયા પેઢી કર્મચારી સહીત છ લોકો સામે ફરિયાદ નોંધીને વધુ તપાસ હાથ ધરી છે.
પંજાબ,હરિયાણાના એજન્ટોએ ચાર લોકો પાસેથી રૃપિયા પડાવ્યા ઃ નવરંગપુરા પોલીસે ગુનો નોંધી તપાશ શરુ કરી
વડતાલ ખાતે રહેતા અને વિઝા પ્રોસેસિંગનું કામ કરતા યુવકે નવરંગપુરા પોલીસ સ્ટેશનમાં પંજાબના બલજીતસિંગ તથા જીન્દરસિંગ અને આકાશ મલીક તથા હરિયાણાના ગુરુગોવિંદસિંહ અને પટેલ જયંતિ અંબા કોર્પોરેનના વ્યકિત તથા બાપુનગરની એચ.
