
શહેરમાં વધુ એનિમલ એમ્બ્યુલન્સ ફાળવવા માંગ
અપૂરતી હેલ્પલાઇનની એમ્બ્યુલન્સ અને ડોક્ટરના કારણે લોકોમાં રોષ
સુરેન્દ્રનગર – સુરેન્દ્રનગરમાં બીમાર પડેલી એક ગાયને સમયસર સારવાર ન મળતા મૃત્યુ થયું છે. ગૌપ્રેમી લોકોએ અપૂરતી હેલ્પલાઇનની એમ્બ્યુલન્સ સામે રોષ વ્યક્ત કરી સુરેન્દ્રનગર શહેરમાં વધુ બે એનિમલ હેલ્પલાઇન એમ્બ્યુલન્સ ફાળવવામાં આવે તેવી માંગણી કરી છે.
વિઠ્ઠલ પ્રેસ રોડ પાસેના એક ખાલી પ્લોટમાં ગાયના નાકમાંથી લોહી નીકળવાનું શરૃ થતાં હરદીપભાઈ શુક્લ નામના નાગરિકે એનિમલ હેલ્પલાઇનનો સંપર્ક કર્યો હતો.
| Source permalink: | https://www.gujaratsamachar.com/news/gujarat/sick-cow-dies-in-surendranagar-due-to-lack-of-timely-treatment |
