તારીખ 26/2/2026ના સવારે 10વાગે ભચાઉ તાલુકા ની આહિર સમાજ વાડી ભચાઉ મધ્ય તાલુકા બેઠક યોજાઈ ,

જેમાં વર્તમાન પ્રશ્નો , ગત આંદોલનની સમીક્ષા બાબતે ચર્ચા કરવામાં આવી. મુખ્યત્વે કચ્છની મુખ્ય કેનાલ ને પાંચ એપ્રિલ સુધી ચાલુ રાખવામાં આવે ત્યારબાદ ઝડપથી રિપેરિંગ કરી ને ફરી દોઢ મહીના ચાલુ કરવાં અવે તથા વાઢિયા કેનાલમાં પૂરતું પાણી છોડવામાં આવે અને ચાંદોડી વિસ્તારની કેનાલ ને પ્રાણ કરવું અવે અને ત્યાં નીકળેલ પાવરગ્રિડ ની ટાવરલાઈન બાબતની ચર્ચા થઈ… બેઠક પૂર્ણ થયા બાદ નર્મદા નિગમના લીમ્બાચીયા સાહેબને આવેદનપત્ર આપવામાં આવ્યું અને એક બે દિવસમાં નાયબ કલેકટર બેન સાથે વિવિધ પ્રશ્નો બાબતે બેઠકનક્કી કરવામાં આવી…આજની આ બેઠકમાં જિલ્લા પ્રમુખશ્રી કરમણભાઈ ગાગલ , જિલ્લા ઉપપ્રમુખ શ્રી ભચાભાઈ માતા, રામજીભાઈ છાંગા, ડાયા ભાઇ ચાવડા, તાલુકા પ્રમુખ દેવજીભાઈ છાંગા ઉપ-પ્રમુખ વશરામભાઈ, ભીમજીભાઇ પટેલ , રાજેશભાઈ અને વિવિધ ગ્રામ સમિતિના અનેક કાર્યક્રતો અને ખેડૂતો હાજર રહ્યા
✍️ભારતીય કિસાન સંઘ ભચાઉ
The Gujarat Live News અહેવાલ ધનજીભાઈ ચાવડા ભચાઉ કચ્છ
