માત્ર 20 રૂપિયામાં લાડવા સાથેની ભરપેટ ભોજનની વ્યવસ્થા રવિવાર-સોમવાર મેળાના બે દિવસ બપોર- સાંજ સંસ્થા તરફથી ગોઠવાયેલ હોય છે.

વર્ષોથી આ વાર્ષિક પ્રતિષ્ઠા દિવસને ઐઠોરના ગામલોકો મેળા સ્વરૂપે ઉજવણી કરે છે.

આકસ્મિત આવી પડેલ માવઠાના કુદરતી વિઘ્નને ભૂલીને દાતા, સેવકો અને ગામલોકોના સાથ – સહકારથી દાદાના દર્શને આવનાર ભક્તોને સહેજ પણ તકલીફ ના પડે તે માટે ભરપૂર વ્યવસ્થા સંસ્થા તરફથી ગોઠવાયેલ હોય છે,એમ પ્રમુખ શ્રી મનુભાઈ એ જણાવેલ હતું.

પરંપરાગત ચાલી આવતી પદ્ધતિથી રવિવારે સાંજના 5 વાગે સુકન જોવાશે અને રાત્રે 9 વાગે ગામ વચ્ચે નાયક ભાઈઓ દ્વારા ભવાઈનો કાર્યક્રમ રાખવામાં આવે છે.

ચરીના મોટા મેદાનમાં રાત્રે મોડા સુધી મેળો જામે છે, જ્યાં જાત-જાતના ચકડોળો અને અન્ય મનોરંજનના સાધનો ગોઠવાયેલ હોય છે.

The Gujarat Live News 

અહેવાલ : આશિષ પટેલ, ઐઠોર 

Mo :987 986 1970

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Copyright 2025. All right reserved. The Gujrat Live News Website Design by E- MEDIA Web & App - 7999906109
error: Content is protected !!