નૂતન વર્ષના પ્રારંભથી જ હજારો શ્રદ્ધાળુઓએ શ્રી ઐઠોરા ગણેશના દિવ્ય દર્શન કરી નવા વર્ષની શુભ શરૂઆત કરી હતી. સોનાથી મઢેલ ગર્ભગૃહને અનેક ફૂલોથી વધુ આકર્ષક બનાવવામાં આવ્યું હતું. સમગ્ર મંદિર રાત્રીના અંધકારમાં અદભુત રોશનીથી ચમકી ઉઠ્યું હતું.

શ્રી ગણપતિ મંદિરે સંસ્થા દ્વારા આવેલ દર્શનાર્થીઓ માટે સતત 5 દિવસ નિઃશુલ્ક ચા ની વ્યવસ્થા પણ કરવામાં આવી હતી.
દૂર-દૂરથી મોટી સંખ્યામાં આવેલ ભક્તો માટે સંસ્થા તરફથી ભોજન પ્રસાદી લેવામાં કોઈ પણ પ્રકારની તકલીફ ના પડે તેવી ખુબ સરસ વ્યવસ્થા કરવામાં આવી હતી.
વિશેષ ઉલ્લેખનીય છે કે, દાદાને ભોજનમાં પ્રિય એવા લાડવાની તાજી એકધારી સર્વશ્રેષ્ઠ શુદ્ધ ગુણવત્તા માટે આ ભોજનાલય ખુબ પ્રખ્યાત થયેલ છે જેનો વર્ષભર અનેક દર્શનાર્થીઓને બપોર અને સાંજે એમ બેય સમય લાભ મળે છે.
રોજે રોજ વધતી દર્શનાર્થીઓની ભીડ માટે શ્રી ગણપતિ મંદિર સંસ્થાના ટ્રસ્ટીઓ, દાતાઓ, કારોબારીઓ અને સેવકો સૌ સાથે મળી ખુબ સારી રીતે ભક્તોને સેવા પુરી પાડી રહ્યા છે.
સંસ્થા સૌ ભક્તોને નૂતનવર્ષાભિનંદન પાઠવે છે.
The Gujarat Live News
અહેવાલ: આશિષ પટેલ, ઐઠોર
Mo : 987 986 1970
